ધો.10 થી ધો. 12, ITI અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં લઈ શકશે ભાગ

ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના રોજગારવાચ્છું માટે ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક ભરતી મેળાનું અને સ્વરોજગાર શિબિરનું તા.30/11/2023ના રોજ સવારે 10.30 કલાકે, ગવર્મેટ સાયન્સ કોલેજ, હૂડકો સોસાયટી, જૂની ટેકનિકલ સ્કૂલની બાજુમાં, વેરાવળ, જી. ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

જેમાં મહાવીર એન્ટરપ્રાઇઝ- રાજકોટ, જય માતાજી એન્ટરપ્રાઇઝ ( મારુતિ-સુઝુકી) બહુચરાજી અને બજાજ એલિયાન્ઝ- વેરાવળ ભાગ લેવાની છે. જે અંતર્ગત ધો. 10 થી ધો. 12, ITI અને ડિપ્લોમા, 18 થી 35 વર્ષની ઉમર ધરાવતા ( શારીરિક રીતે સશક્ત ) ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. તેવું જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment